Saturday, 30 November 2013

જીવન માં યાદ રાખવા જેવી કેટલીક વાતો

જીવન માં યાદ રાખવા જેવી કેટલીક  વાતો :
(૧) સંબંધો ના કદી સરવાળા નાહોય,કારણ કે તે બિઝનેસ નથી.

(૨) તમે જ્યારે બિમાર પડો છોત્યારે તમારૂ પોતાનુ શરીર પણ સાથ આપતુ નથી તો બીજા ની આશા શુ રાખવી.

(૩) સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.

(૪) બદલતા માણસ અને બદલતી મૌસમ નો કદિ વિશ્વાસ ના કરવો.

(૫) લાગણીઓ મરતી નથી..કારણ જગત એના પાયા પર જ ચાલે છે.પરંતુ લાગણી વગર નુ જીવન એટ્લે જીવતા મ્રુત્યુ.

(૬) પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય.

(૭) જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમારા જીવન મા પ્રેમ ના હોય તો જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.

(૮) ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.

(૯) જીવન એવી રીતે ના જીવો કે ભગવાન ને પણ તમને મનુષ્યઅવતાર આપ્યા નો અફસોસ થાય.

(૧૦) પ્રેમનું પાત્ર શોધો નહિ, પ્રેમનું પાત્ર બનો

No comments:

Post a Comment