અને તમે અમને નિષ્ફળતા અને હારનારાઓ વિષે કૈક કહો, એવું ગામ ના લોકો એ કહયું।. . . .
અને તેમણે જવાબ આપ્યો :
હારનારાઓ તો ખરેખર એ મણસો છે કે જે ક્યારેય હાર માનતા નથી.
હાર એ કઈ હાર નથી હોતી, હાર એટલે કે આપણે ફક્ત એક જ લડાઈ હાર્યા છીએ.
એક વાર હાર્યા એટલે એનો મતલબ એ નથી કે આપણે આવનારી બીજી બધી લડાઈઓ હારી જઈશું।
કદાચ આપણને હાર એટલા માટે મળે છે કે આપને જે ખરેખર જોઈતી હોય એ વસ્તુ મેળવી સકતા નથી, નિષ્ફળતા આપણને સપનાઓ જોતા અટકાવતી નથી. તેનો તો એક જ નિયમ હોય છે : " કશી જ આશા ના રાખો અને તમે ક્યારેય નિરાશ નહિ થાઓ. . . "
નિષ્ફળતા ત્યાંજ પૂરી થઇ જાય છે કે જયારે આપણે બીજી લડાઈ ની શરૂઆત કરી દઈએ છીએ.
નિષ્ફળતા નો કોઈ અંત નથી હોતો : તે જીવન ભર ની એક પસંદગી છે. નિષ્ફળતા તેમને મળતી રહે છે કે જેઓ પોતાના માં ઘણો જ ડર હોવા છતાયે, વિશ્વાસ અને આશા થી પોતાની જિંદગી જીવતા હોય છે. નિષ્ફળતા એમના માટે છે કે જેમને હારતા અને જીતતા આવડે છે.
પણ અહિયાં તમને હું એમ કહેવા નથી આવ્યો કે નિષ્ફળતા એ જીવન નો એક ભાગ છે. આપણે બધા એ જાણીએ જ છીએ. ખરેખર તો નિષ્ફળ જનારા જ પ્રેમ નો સાચે સાચો અર્થ જાણતા હોય છે, કારણ કે કૈક હારી ને સ્તો સાચો પ્રેમ મળતો હોય છે.
હું તો તમને એ કહેવા આવ્યો છું કે એવા પણ કેટલાક લોકો છે કે જેમને ક્યારેય નિષ્ફળતા મળી નથી.
. . . કારણ કે તેઓ એ લોકો છે કે ક્યારેય કોઈ લડાઈ લડ્યા જ નથી. . . !
તેઓ પોતાની જાત ને લડાઈ કે યુદ્ધ માં નહિ ધસેડવામાં સફળ રહ્યા છે. . . જીવન ની એવી ક્ષણો માં પણ કે જયારે જીવન માં એક નિસહાય માણસ ને પણ સહાય ના કરી ને તેઓ પોતાને વિજયી માની રહ્યા છે.એવી ક્ષણો માં કે જયારે બહાદુર યોધ્ધાઓ પણ ભગવાન માં થી પણ વિશ્વાસ છોડી દે. . . !
આવા લોકો બહુ આરામ સાથે ગર્વ થી કહી સકે છે : હું ક્યારેય કશું હાર્યો નથી.
સાથે - સાથે તેઓ એવું ક્યારેય નહિ કહી શકે કે હું આ લડાઈ જીત્યો . . . !
(ક્રમશ . . . )
# નિષ્ફળતા વિષે ભાગ - 1
અનુવાદ કરેલા અંશ : નિમેષ પ્રજાપતિ દ્વારા
From the Book : Manuscript Found in Accra by Paulo Coelho
No comments:
Post a Comment