Sunday, 29 December 2013
Saturday, 28 December 2013
Friday, 27 December 2013
Thursday, 26 December 2013
Wednesday, 25 December 2013
Tuesday, 24 December 2013
Thursday, 19 December 2013
સાલ્લી એ જિંદગી . . . !
સાલ્લી એ જિંદગી . . . !
લાઈફ આમ તો બધું એમ જ ચાલતું રહે છે. આપણ ને કશી ચિંતા થતી નથી કે - આવતી કાલે શું થશે?
પણ ક્યારેક એવું કૈક બની જાય જે તમારી વિચારસરણી પર અસર કરી જાય . . .
તમને મજબુર કરી દે કૈક બીજું વિચરવા માટે . . .
પછી ભલે એ નાનકડો અકસ્માત જ કેમ ના હોય?
અને પછી તમે બદલાઈ જાઓ છો. (બોલે તો રાજુ બન ગયા જેન્ટલમેન ની જેમ જ . .!)
એવું તો ના કહેવાય કે - " હમ ને મોત કો બહુત કરીબ સે દેખા હે . . " ( . . . નહીતો તમે પૂછી લેશો : કિતના કરીબ સે?)
તમને કદાચ બધું બદલાઈ જતું લાગે છે.
તમે ઓફીસ જતા પણ કૈક વિચારવા માંડો છો, ઓફીસ ના પટાવાળા થી લઈને રસ્તા પર જોવા મળતા ભિખારી વિષે પણ કંઈક વિચારવા લાગો છો.
નાની-નાની બાબતો તમને ખુશી આપવા લાગે છે. સૌથી મોટો ફાયદો એ છે કે તમારી ચિંતાઓ ઓછી થઇ જાય છે. ઇન ફેક્ટ તેમ જીવો તો છો જ મજા ની લાઈફ પણ એમાયે ગણો બધો ફરક પડી જાય છે.
એવું નથી કે બધું રાતો-રાત બદલાઈ રહ્યું છે. પણ કૈક તો કોઈ જગ્યાએ બદલાયું છે એવાત ચોક્કસ છે.
તમે આકાશ માં રાત્રે તારાઓ ક્યારે જોયા હતા યાદ છે?
ઓકે, તમે પાછા બહુ બીજી માણસ છો એટલે પૂછી લઉં : છેલ્લે એવો કયો દિવસ હતો કે જયારે તમે દિવસ માં કઈ જ કામ ના કર્યું હોય અને ફક્ત પોતાના માટે એક વ્યક્તિ તરીકે પસાર કર્યો હોય? આઈ મીન - ફક્ત પોતાના માટે? બીજું એક પણ ઓફીસીઅલ કામ નહિ, ફક્ત આરામ, સમય - ફક્ત પોતાના માટે?
માન્યું કે - એવું છે કે પૈસા કમાવવા પડે છે - જીવવા માટે, અને તમારી પાસે બીજી એક પણ મૂડી નથી - સિવાય કે તમારું પોતાનું મગજ . . . !
બટ, કિન્તુ, પરંતુ, . . . એ બધું તો જીવન ના સપોર્ટીંગ પાર્ટ્સ છે, મેઈન વાત તો છે - જીવન જીવવું . . .!!! રાઇટ . . .?
પણ યાર તમને નથી લાગતું કે - તમે છો તો જ આ બધું છે, . . . . તમે છો તો જ જીવન છે.
તમે નહિ હો પછી તો કઈ નથી. . . .
સોચ લો ઠાકુર . . . ફિર હમ કુ મત કહેના કી હમ ને બોલા નહિ. . .
Sunday, 8 December 2013
Saturday, 7 December 2013
Friday, 6 December 2013
Thursday, 5 December 2013
Wednesday, 4 December 2013
આજ નો વિચાર : 04/12/2013
"માણસ પોતે જ પોતાનું જીવન બનાવે અથવા બગાડે. એના વિચારોના શસ્ત્રાગારમાં જે હથિયારો છે એનો એ જે રીતે ઉપયોગ કરે છે, એમાં જ એ પોતાનો વિનાશ કરે છે. એની પાસે જે હથિયારો છે એનો એ શણગારીને સુંદર ઉપયોગ કરે તો સ્વર્ગીય આનંદ, શક્તિ અને શાંતિનું ઘર એ પોતે જ રચી શકે. વિચારોની યોગ્ય પસંદગી અને સચ્ચાઇપૂર્વક આચરણ દ્રારા માણસ દિવ્યતા સુધી ઉપર જઇ શકે. અભદ્ર વિચારો અને અનૈતિક આચરણથી માણસ પશુની કક્ષાથી પણ અધમ સ્થિતિએ ઉતરી જાય છે."
-જેમ્સ એલન, એસ અ મેન થીન્કેથ
Tuesday, 3 December 2013
Monday, 2 December 2013
Sunday, 1 December 2013
Subscribe to:
Comments (Atom)
